Gujarati News

Gujarati News

News of Thursday, 14th February 2019

જંગલેશ્વરની મુસ્લિમ સગીરાનું મુસ્તાક ઉર્ફ મુસો લલચાવીને અપહરણ કરી ગયો

ભકિતનગર પોલીસે ગુનો દાખલ કરી તપાસ આરંભી

રાજકોટ તા. ૧૪: જંગલેશ્વરમાં રહેતાં મુસ્લિમ પરિવારની સગીર વયની દિકરીને આ વિસ્તારનો જ મુસ્લિમ શખ્સ લલચાવી ફોસલાવી ભગાડી જતાં પોલીસે અપહરણનો ગુનો નોંધ્યો છે.

આ બનાવ અંગે ભકિતનગર પોલીસે જંગલેશ્વર મફતીયાપરા-૯માં અજય પાનવાળી શેરીમાં રહેતાં અને મજુરી કરી ગુજરાન ચલાવતાં દોસ્તમહમદ સુલેમાનભાઇ રાઉમા (ઉ.૫૫)ની ફરિયાદ પરથી જંગલેશ્વર-૧૦માં રહેતાં મુસ્તાક ઉર્ફ મુસો ઓસમાણ સામે આઇપીસી ૩૬૩, ૩૬૬ મુજબ અપહરણનો ગુનો નોંધ્યો છે.

દોસ્તમહમદભાઇએ પોલીસને જણાવ્યું છે કે તેને સંતાનમાં ચાર દિકરી અને એક દિકરો છે. જેમાં બે દિકરી સાસરે છે. જે પૈકી રેશ્માની ઉમર ૧૭ વર્ષ અને ૯ માસની છે. શેરીમાં જ રહેતો મુસ્તાક ઉર્ફ મુસો ઘરે આવતો જતો હોઇ તેને રેશ્મા સાથે ઓળખ થયા બાદ પ્રેમસંબંધ બંધાઇ ગયો હતો. તા. ૮/૨ના રોજ રાત્રે નવેક વાગ્યે પોતે કામેથી ઘરે આવતાં પત્નિએ જાણ કરી હતી કે દિકરી રેશ્મા સાંજે આઠ વાગ્યે ઘરમાંથી બહાર શેરીમાં બેસવા ગયા બાદ ગૂમ થઇ છે. આથી તેની ઠેર-ઠેર શોધખોળ કરી હતી પણ પત્તો મળ્યો નહોતો. જંગલેશ્વર-૧૦માં રહેતો મુસ્તાક ઉર્ફ મુસો પણ ગાયબ હોઇ તે લઇ ગયાની દ્રઢ શંકા ઉદ્દભવી હતી. તેની તપાસ બાદ અંતે ફરિયાદ નોંધાવી છે. પી.આઇ. વી. કે.ગઢવીની રાહબરીમાં એએસઆઇ એસ.વી. ડાંગર અને ટીમે તપાસ હાથ ધરી છે.

(3:48 pm IST)