Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

માંડવી ચોક દેરાસરે પાંચ દિવસીય દિપાવલી મહોત્સવઃ આંગી-રંગોળી રચાશે

સવારે ૯ થી ૧ તથા સાંજે પ થી ૧૦ દર્શનનો લાભ

રાજકોટ તા. ૧૩: શહેરના ૧૯૪ વર્ષ પ્રાચીન તીર્થ માંડવી ચોક દેરાસર ખાતે આજથી પાંચ દિવસીય દિપાવલી મહોત્સવ શરૂ થયો છે. મહોત્સવ અંતર્ગત પ્રભુજીને દરરોજ મનમોહક આંગી તથા રંગોળી કરવામાં આવશે. ભાવિકો સવારે ૯ થી ૧ તથા સાંજે પ થી ૧૦ દરમિયાન દર્શનનો લાભ લઇ શકશે. આજે ૧૦ પરમાત્માઓને હીરાની આંગી તથા ચોખાની રંગોળી કરવામાં આવી છે. જેનો લાભ શ્રીમતી મધુબેન જીતેન્દ્રભાઇ દોશી પરિવારે લીધો છે તેમ પ્રમુખ જીતુભાઇ ચા વાળાની યાદીમાં જણાવાયું છે.

(2:52 pm IST)