Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

સાગરનગરમાં એસીડ પી ગયેલા મહિલાનું મોત

સવીતાબેન ધોળકીયા ભુલથી પી ગયાનું પોલીસની પ્રાથમીક તપાસમાં બહાર આવ્યું

રાજકોટ તા. ૧૩: માર્કેટીંગ યાર્ડ પાસે સાગરનગરમાં એસીડ પી લેનાર મહિલાનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.

મળતી વિગત મુજબ સાગરનગર-૧ માં રહેતા સવીતાબેન દિનેશભાઇ ધોળકીયા (ઉ.વ.૪૦) ગત તા. ૧૭/૧૦ના રોજ પોતાના ઘરે હતા ત્યારે એસીડ પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં ગઇકાલે તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. આ બનાવમાં મૃતક સવીતાબેને ભુલથી એસીડ પી લીધું હોવાનું પોલીસની પ્રાથમીક તપાસમાં ખુલ્યું છે. આ અંગે આજીડેમ પોલીસ મથકના હેડ કોન્સ. ધીરૂભાઇએ તપાસ હાથ ધરી છે.

(2:50 pm IST)