Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

કોર્પોરેશનની આવાસ યોજનાનાં ૭૫૦ ફલેટધારકોએ હપ્તા નહી ભરતા મકાન જપ્તીની નોટીસો ફટકારાઈ

રાજકોટ, તા. ૧૩ :. મ્યુ. કોર્પોરેશનની બીએસયુપી આવાસ યોજનામાં ૭૫૦ ફલેટધારકોએ નિયમીત હપ્તા નહીં ભરતા આ તમામ ફલેટધારકોને મકાન જપ્તીની નોટીસો અપાઈ છે.

આ અંગે સત્તાવાર પ્રાપ્ત વિગતો મુજબ મ્યુ. કોર્પોરેશન દ્વારા રૈયા વિસ્તારમાં સ્ટર્લીંગ હોસ્પીટલ પાસે, સાધુ વાસવાણી રોડ, પુષ્કર ધામ, પ્રેમમંદિર પાસે, ૧૫૦ ફુટ રીંગરોડ સહિતના વિસ્તારોમાં બી.એસ.યુ.પી. આવાસ યોજનાઓનું નિર્માણ કરાયુ છે.

ઉપરોકત તમામ આવાસ યોજનાઓમાં મળી કુલ ૭૫૦ જેટલા ફલેટધારકોએ છેલ્લા ઘણા સમયથી હપ્તા નહી ભરતા આ તમામ ફલેટધારકોને નિયમીત હપ્તા નહી ભરાય તો તેઓના મકાનની જપ્તી કરવામાં આવશે તેવી નોટીસ ફટકારાઈ હોવાનું જાણવા મળયુ છે.

(2:40 pm IST)