Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

રેલનગરમાં આર્થિક ભીંસથી કંટાળી હંસરાજભાઇ ગોહેલનો આપઘાત

રાજકોટ તા.૧૩: બજરંગવાડીના રેલનગરમાં આર્થિક ભીંસથી કંટાળી કોળી આઘેડે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ હતી.

મળતી વિગતો મુજબ જામનગર રોડ બજરંગવાડીમાં રેલનગર શેરીનં.૩માં રહેતા હંસરાજભાઇ હરજીભાઇ ગોહેલ (ઉ.વ.૪૫) એ ગઇકાલે પોતાના ઘરે પંખાના હુકમાં ચુંદડી વડે ગળાફાંસો ખાઇ લીધો હતો. બનાવની જાણ કરતા ૧૦૮ના તબીબે તપાસ કરતા હંસરાજભાઇનું મોત નિપજયું હોવાનું જણાતા ગાંધીગ્રામ પોલીસને જાણ કરતા પીએસઆઇ એમ.ડી.વાળા તથા રાઇટર કૃષ્ણસિંહે સ્થળ પર પહોંચી કાર્યવાહી કરી હતી. મૃતક હંસરાજભાઇ રીક્ષા ચલાવતા હતા. તેને સંતાનમાં ત્રણ પુત્રી છે. તેણે આર્થિક ભીંસથી કંટાળી આ પગલું ભર્યાનું ખુલ્યું છે.(૧.૧૭)

(4:05 pm IST)