Gujarati News

Gujarati News

News of Friday, 13th September 2019

રાજકોટના ૧૩ સત્યાગ્રહીઓની સોમવારે ચુંટણી પંચ સાથે મીટીંગ

રાજકોટ તા. ૧૩ : ઇ.વી.એમ.નો ઉપયોગ બંધ કરી બેલેટ પેપરથી ચુંટણી કરવા, ઉમેદવારોને નિશાનો ફાળવવાના બદલે માત્ર નામ અને ફોટાઓનો જ ઉપયોગ કરવા, રાજકીય પક્ષોની નોંધણી અને માન્યતા રદ કરવા સહીતની માંગણીઓ ઉઠાવનાર રાજકોટ મતદાર એકતા મ઼ચના ૧૩ સત્યાગ્રહીઓની આગામી તા. ૧૬ ના સોમવારે કેન્દ્રીય ચુંટણીપંચ સાથે મીટીંગ  ગોઠવવામાં આવી છે.

અશોકભાઇ પટેલ, પ્રવિણભાઇ લાખાણી, મહેશભાઇ મહીપાલ, બિપીનભાઇ માકડીયા, સુર્યકાન્ત ચાંગેલા, કાંતિભાઇ ભૂત, ઉત્તમભાઇ રાઠોડ, અમિતકાંતા પટેલ, અબ્બાસભાઇ જરીવાલા, રાકેશભાઇ રૂપાપરા, દાદુભાઇ લાંગા, હસમુખભાઇ પટેલ, એન. પી. ચિત્રોડા એમ ૧૩ સત્યાગ્રહીઓ આ મીટીંગમાં ભાગ લશે. તેમ રાજકોટ મતદાર એકતા મંચની યાદીમાં જણાવાયુ છે.

(4:04 pm IST)