Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

સોરઠિયાવાડી ચોક બનશે કૃષ્‍ણમયઃ સુશોભન, રોશની સાથે ગોકુળ સર્જન

રાજકોટ તા.૧૩ : સોરઠીયાવાડી યુવક મંડળના પ્રમુખ ભુપતભાઇ બોદરની જણાવે છે કે સૌરાષ્‍ટ્રભરમાં શ્રી જશોદાના જોયા અને દેવકીનંદનના ત્‍યારે શહેરના સોરઠીયાવાડી યુવક મંડળ દ્વારા છેલ્લા ચાલીસ વર્ષોથી જન્‍માષ્‍ટમી મહોત્‍સવનું આયોજન કરવામાં આવે છે. જેમાં કૃષ્‍ણ જન્‍મોત્‍સવ અંતર્ગત મટકી ફોડલરાસલીલા સહિતના અનેકવિધ કાર્યક્રમોનું થાય છે. ત્‍યારે આ બેનમુન આયોજનની તત્‍કાલીન મુખ્‍યમંત્રી શ્રી નરેન્‍દ્રભાઇ મોદી, કેશુભાઇ પટેલ, વિજયભાઇ રૂપાણી સહિતના અગ્રણીઓએ પણ મુલાકાત લીધેલ છે અને આ સુંદર આયોજનની સરાહના કરી બીરદાવી છે. જન્‍માષ્‍ટમી નિમિતે યોજાતી સુશોભન સ્‍પર્ધામાં અનેક વખત સોરઠીયાવાડી  યુવક મંડળે ઇનામો જીત્‍યા છે.

વર્ષને પણ સોરઠીયાવાડી યુવક મંડળ દ્વારા સોરઠીયાવાડી ચોક ખાતે જન્‍માષ્‍ટમી અંતર્ગત ચોકને કૃષ્‍ણજન્‍મનો આકર્ષકફલોટસ, ગોરીલા, નયનરમ્‍ય ડેકોરેશન અને રોશનીના ઝગમગાટથી સોરઠીયાવાડી ચોકને આબેહુબ ગોકુલનગરી બનાવવામાં આવશે અને ગોકુળીયો માહોલ છવાશે તેમજ ગોકુલ આઠમના પર્વે મટકી ફોડ, રાસલીલા, ભકિતસભર સંગીત સાથે નંદ ઘેર આનંદભયોના નાદસાથે કૃષ્‍ણ જન્‍મોત્‍સવની હર્ષોલ્લાસ સાથે ભાવ અને ભકિતપુર્ણ ઉજવણી કરવામાં આવશે. ત્‍યારે છેલ્લા ચાલીસ વર્ષોથી થતા આ ભવ્‍ય આયોજનમાં સોરઠીયાવાડી યુવક મંડળના પ્રમુખ ભુપતભાઇ બોદર પુરો સહયોગ આપી આ ભકિતસભર આયોજનમાં સંપુર્ણ સક્રિયતાથી  પોતાનું સામાજિક દાયિત્‍વ અદા કરી રહયા છે. રાંધણછઠ્ઠના પાવન પર્વે સોરઠીયાવાડી ચોક ખાતે કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવશે.

કાર્યક્રમને સફળ બનાવવા સોરઠીયાવાડી યુવક મંડળના પ્રમુખ ભુપતભાઇ બોદરના માર્ગદર્શન હેઠળ આયોજન મંત્રી રમેશભાઇ સાકરીયા ઉપપ્રમુખ જુવાનસિંહ જાડેજા, સહમંત્રી વજુભાઇ ઠુંમર, ગોવિંદભાઇ પરસાણાલ પુર્વ પ્રમુખ દાસભાઇ કાછડીયા, કાર્યકર્તા કમિટીના જીતુભાઇ કોટક, દિનેશભાઇ ચૌહાણ, જયેશભાઇ રામાણીલ જયુભા પરમાર, રસીકભાઇ ગડાધરા, હિતેશ મુંગલપરા, ભરત બોદર, કિશોર ડોબરીયા, મહેન્‍દ્ર વઘાસીયા, મનસુખભાઇ (મુનરાઇઝ) ગોવિંદભાઇ શીયાણી, જગદીશભાઇ હાપલીયા, લલીત પરસાણા, બાબુભાઇ શંખાવરા વગેરે જહેમત ઉઠાવી રહયા છે. 

(4:04 pm IST)