Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

બોર્ડમાં વિપક્ષે વિરોધ પ્રદર્શીત કર્યા બાદ લોકશાહી ઢબની બૌધ્ધિક ચર્ચા

રાજકોટઃ આજે મ્યુનિસીપલ કોર્પોરેશનના જનરલ બોર્ડમાં ચર્ચા સમયે પ્રેક્ષકોને ભાગ લેવા દેવાની માંગણી સાથે ખુદ પ્રેક્ષક ગેલેરીમાં બેસી કોંગ્રેસે વિરોધ પ્રદર્શીત કર્યો હતો. બોર્ડ પુર્ણ થયા બાદ પ્રેક્ષક ગેલેરી પાસે જઇ સ્ટેન્ડીંગ ચેરમેન અને ભાજપના સિનીયર  અગ્રણી ઉદય કાનગડે પુર્વ વિપક્ષી નેતા ગાયત્રીબા અશોકસિંહ વાઘેલા અને કોંગી કોર્પોરેટર નિલેશ મારૂ સાથે લોકશાહી ઢબની બૌધ્ધિક ચર્ચાઓ કરી હતી. ઉલ્લેખનીય છે કે ઘણા લાંબા સમયથી સતાધારી ભાજપ દ્વારા શહેરના પ્રાણ પ્રશ્નોએ કોર્પોરેટરો દ્વારા ઉઠાવાતા પ્રશ્નો આમ પ્રજાજનો બોર્ડમાં ઉપસ્થિત રહી નિહાળી ન શકે તે માટે પ્રેક્ષક ગેલેરી બંધ કરી દેવામાં આવી છે.  (ફોટોઃ સંદીપ બગથરીયા) (૪.૧૨)

(3:48 pm IST)