Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

નગીનદાસ સંઘવી સાથેનું મોંઘેરૂ સંભારણું

ગુજરાતના ખુબજ સન્માનનીય શતાયુ વર્ષના   સાહિત્યકાર-કોલમીસ્ટ-વકતા પદ્મશ્રી નગીનદાસ સંઘવીનું ગઇકાલે નિધન થયું. સૌ.યુનિ. પૂર્વ ઉપકુલપતિ શ્રી કમલેશ જોષીપુરાએ ટવીટર ઉપર સ્વ. નગીનભાઇ સાથેની તસ્વીર ''શેર'' કરી અંજલી આપી છે. ૧૦૧ વર્ષની વયે પણ યુવાન જેવી સ્ફૂર્તિવાળા અને  પ્રતિભાશાળી પત્રકાર-કોલમીસ્ટ રાજકીય વિષ્લેષક સાથેની તસ્વીરમાં રાજકોટના કોર્પોરેટર અને બાંધકામ સમિતિના ચેરમેન શ્રી મનીષ રાડીયા, શ્રી અજય જોશી, સ્વ. નગીનદાસ સંઘવી, પૂર્વ કેન્દ્રીયમંત્રી અને કેન્દ્રીય ગૌશાળા બોર્ડના ચેરમેન ડો. વલ્લભભાઇ કથીરીયા તથા ડો. કમલેશ જોષીપુરા નજરે પડે છે. ઉલ્લેખનીય છે કે પદ્મશ્રી નગીનદાસ સંઘવી રાજકોટ શહેરમાં શ્રોફ રોડ ઉપર આવેલ લાઇબ્રેરીમાં આવ્યા હતા. તે પ્રસંગની એક યાદગાર તસ્વીર.

 

(2:49 pm IST)