Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

સંગઠન પર્વ અર્થે ભાજપ દ્વારા વોર્ડવાઇઝ મોરચાવાઇઝ બેઠક

રાજકોટઃ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કીશોર રાઠોડ, સંગઠન પર્વના ઇન્ચાર્જ વિરેન્દ્રસિંહ ઝાલા, સહઇન્ચાર્જ પુષ્કર પટેલ, ડો.દર્શીતાબેન શાહની એક સંયુકત યાદીમાં જણાવાયું છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા સદસ્યતા વૃધ્ધિ અભિયાનનો પ્રારંભ થયેલ છે ત્યારે પાર્ટીની પ્રણાલિકા મુજબ દર ત્રણ વર્ષે સંગઠન પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હોય છે અને પાર્ટીની વિચારધારા સાથે નવા સભ્યોને જોડવાનો પ્રયાસ હાથ ધરવામાં આવતો હોય છે. ત્યારે સંગઠન પર્વ અંતર્ગત ભાજપ દ્વારા વોર્ડવાઈઝ અને મોરચાવાઈઝ જવાબદારીઓ સોંપવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રવાદની વિચારધારા જન-જન સુધી પહોંચે તે માટે યુવા મોરચાના પ્રમુખ પ્રદિપ ડવ, મહામંત્રી પરેશ પીપળીયા, પૃથ્વીસિંહ વાળાની આગેવાની હેઠળ શહેર ભાજપ યુવા મોરચા દ્વારા શાળા-કોલેજોમાં, બક્ષીપંચ મોરચા પ્રમુખ નિલેશ જલુ, મહામંત્રી રસિકભાઈ પટેલ, લલીત વાડોલીયાની આગેવાની હેઠળ બક્ષીપંચ મોરચા દ્વારા વિવિધ સમાજો, અંજલીબેન રૂપાણી, નયનાબેન પેઢડીયા, પુનીતાબેન પારેખ, કિરણબેન માંકડીયાની આગેવાની હેઠળ મહિલા મોરચા દ્વારા શહેરની શાકમાર્કેટોમાં, શહેર ભાજપ અનુ.જાતિ મોરચા પ્રમુખ ડી.બી. ખીમસુરીયા, મહામંત્રી નાનજીભાઈ પારઘી, પ્રવિણ ચૌહાણની આગેવાની હેઠળ અનુ. જાતિ મોરચા દ્વારા દલિત વિસ્તારો, લઘુમતી મોરચાના પ્રમુખ હારૂનભાઈ શાહમદાર, મહામંત્રી યાકુબ પઠાણ, વાહીદ સમાની આગેવાની હેઠળ શહેર ભાજપ લઘુમતી મોરચા દ્વારા મુસ્લીમ વિસ્તારો તેમજ એસ.ટી., રેલ્વે સ્ટેશન, હોકર્સ ઝોનમાં સભ્યોનોંધણીનો કાર્યક્રમ હાથ ધરવામાં આવશે. તેમજ આજે તા.૧૩ના શનીવારે સાંજે ૭ કલાકે અનુ.જાતી મોરચા દ્વારા પરસાણાનગર ખાતે દલિત વિસ્તારમાં સંગઠન પર્વ અભિયાન યોજાશે એમ અંતમાં જણાવેલ છે.

(3:53 pm IST)