Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

વિનાયકનગરમાં ફર્નિચર કામની મજૂરી ન મળતાં સમીરે ગળાફાંસો ખાધોઃ બચી ગયો

રાજકોટ તા.૧૩: મવડી પ્લોટ વિનાયકનગર-૧૫માં રહેતાં સમીર હંસરાજભાઇ દસાડીયા (ઉ.૨૧) નામના સુથાર યુવાને મકાનના ઉપરના રૂમમાં છાપરાની આડીમાં સાડી બાંધી ગળાફાંસો ખાઇ લેતાં તે વખતે જ માતા પુનિતાબેન આવી જતાં તેને બચાવી લઇ સિવિલ હોસ્પિટલમાં ખસેડતાં જીવ બચી ગયો હતો.

હોસ્પિટલ ચોકીના મહેન્દ્રભાઇ પરમારે માલવીયાનગરમાં જાણ કરી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર સમીર બે ભાઇ એક બહેનમાં નાનો છે અને પિતા સાથે ફર્નિચર કામની મજૂરી કરે છે. સમીરના કહેવા મુજબ કેટલાક દિવસથી મજૂરી કામ મળતું ન હોઇ કંટાળીને પગલુ ભર્યુ હતું.

રૈયાધારમાં અલ્પેશે ગળામાં બ્લેડથી છરકો કર્યો

રૈયાધાર મફતીયાપરામાં રહેતાં અલ્પેશ અમરભાઇ ડાંગર (ઉ.૨૩) નામના રિક્ષાચાલક યુવાને સાંજે ગળા પર બ્લેડથી છરકો કરી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાવામાં આવતાં યુનિવર્સિટી પોલીસને જાણ કરાઇ હતી. તે બે ભાઇ અને એક બહેનમાં મોટો હતો. માનસિક ટેન્શનને કારણે આમ કર્યુ હતું.

રૈયાધારના જયદિપે ઝેર પીધું

રૈયાધાર સ્લમ કવાર્ટરમાં રહેતાં જયદિપ ભુપતભાઇ બગથરીયા (ઉ.૨૬)એ સાંજે ઝેર પી લેતાં હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ અંગે યુનિવર્સિટી પોલીસને જાણ કરાઇ હતી.

(3:41 pm IST)