Gujarati News

Gujarati News

News of Friday, 13th May 2022

માનસીક બીમારીના લીધે દીપાલીબેન ભટ્ટીનો એસીડ પી આપઘાત

વૃંદાવન ચાર માળીયા કવાટરમાં બનાવઃ પરિવારજનો બહારથી જમવાનું લઇને ઘરે આવ્‍યા ત્‍યારે યુવતી બેભાન જોવા મળી

રાજકોટ તા. ૧૩: કાલાવડ રોડ વૃંદાવન ચાર માળીયા કવાર્ટરમાં માનસીક બીમારીના લીધે યુવતીએ એસીડ પી આપઘાત કરી લેતા અરેરાટી વ્‍યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ વૃંદાવન ચાર માળીયા કવાર્ટરમાં રહેતી દીપાલીબેન ચમનલાલભાઇ ભટ્ટી (ઉ.વ. ર૮) એ રાત્રે પોતાના ઘરે એસીડ પી લેતા તેને બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતા ત્‍યાં તેનું સારવાર દરમ્‍યાન મોત નિપજયું હતું. મૃતક બે ભાઇ અને બે બહેનમાં નાના હતા તેને લાંબા સમયથી ખેંચની બીમારી હતી. લોકડાઉનમાં તેને ખેંચ આવતા અકસ્‍માતે પડી જતા તેને ગટરનું ઢાંકણું માથાના ભાગે લાગી જતા ઇજા થઇ હતી. ત્‍યારથી તે માનસીક રીતે અસ્‍વસ્‍થ થતા તેની છેલ્લા દોઢ વર્ષથી માનસીક બીમારીની દવા ચાલુ હતી.

આ બનાવ અંગે તાલુકા પોલીસ મથકના હેડ કોન્‍સ. આર. જી. ચૌહાણે તપાસ હાથ ધરી છે.

(4:32 pm IST)