Gujarati News

Gujarati News

News of Friday, 13th May 2022

ઇન્‍દ્રપ્રસ્‍થનગરમાં ઉપાશ્રય-જૈન સેન્‍ટર હોલની કાલે શિલારોપણ વિધિ

પૂ. ધીરગુરૂદેવની નિશ્રા

રાજકોટ તા. ૧૩: શ્રી પી.એ.ટ્રસ્‍ટ રાજકોટના ઉપક્રમે ઇન્‍દ્રપ્રસ્‍થનગરમાં શ્રી નરભેરામ પાનાચંદ મહ ેતા ધર્મ સંકુલના વિસ્‍તૃતિકરણની અતિ જરૂરિયાત હોવાથી એક મકાન ખરીદ કરીને આશરે ૬૦૦ વારના પ્‍લોટમાં ઉપાશ્રય, આયંબિલ ગૃહ, જૈન સેન્‍ટર હોલનું નવ નિમાર્ણ પૂ. ધીરગુરૂદેવની અસીમ કૃપાાથી થનાર છે.

પ્રોજેકટ ઇન્‍ચાર્જ તારક વોરાની વિગત અનુસાર તા.૧૪ને શનિવારે સવારે ૮-૩૦ કલાકે ૨૧ જાગનાથ પ્‍લોટ ખાતે જૈનભવન- ભોજનાલયના હોલમાં ભક્‍તામર પાઠ અને પૂ. સંત- સતીજીઓની ઉપસ્‍થિતિમાં રાજકોટના વતની હાલ કલકત્તા શ્રેષ્‍ઠિવર્ય ચંદ્રવદનભાઇ દેસાઇના પ્રમુખ પદે અને મુકેશભાઇ કામદારના મુખ્‍ય મહેમાન પદે ચંદ્રિકાબેન પ્રફુલભાઇ જસાણી વગેરેના હસ્‍તે શિલારોપણ વિધિ થશે.

નવનિર્માણમાં શ્રીમતી ચંદ્રિકાબેન પી. જસાણી, શ્રીમતી વસુબેન પ્રવીણચંદ્ર નરભેરામ મહેતા, માતુશ્રી વિજયાબેન એચ. બાટવીયા, રેખાબેન નલીનભાઇ બાટવીયા, સરોજબેન મહેન્‍દ્રભાઇ કોટીચા  શ્રીમતી હાર્દિકા જગદીશ ભીમાણી વગેરે સહભાગી બન્‍યા છે.

(1:33 pm IST)