Gujarati News

Gujarati News

News of Saturday, 13th March 2021

કારડીયા રાજપુત જ્ઞાતિ સમાજ દ્વારા કાલે સત્કાર સમારંભ

જ્ઞાતિના ચૂંટાયેલા પદાધિકારીઓનું સન્માન કરાશે

રાજકોટઃ શ્રી કારડીયા રાજપૂત જ્ઞાતિ સમાજ (૨, રજપુતપરા) રાજકોટ દ્વારા આયોજીત સત્કાર સમારંભ કાર્યક્રમ તા.૧૪ને રવિવારે સાંજે ૫ કલાકે આનંદનગર કોલોની પાસે રણછોડદાસબાપુ કોમ્યુનિટી હોલ ખાતે આયોજન કરેલ છે. તેમાં રાજકોટ શહેર મહાનગરપાલિકાના કોર્પોરેટર તરીકે ચૂંટાયેલા કારડીયા રાજપૂત સમાજની ત્રણ મહિલા બહેનો સોનલબેન સેલારા / રાજેશ્વરીબેન ડોડીયા/ રસીલાબેન સાકરિયા તેમજ બાબરા નગરપાલિકા સદસ્ય તરીકે ચૂંટાયેલા કિંજલબેન ગંભીરસિંહ સોલંકી તેમજ પ્રદ્યુમનસિંહ ભુપતસિંહ પઢીયાર વાંકાનેર નગરપાલિકાના સદસ્ય તરીકે ચૂંટાયેલા આ સમાજના ચૂંટાયેલા પદાધિકારીઓનું સન્માન કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પટેલ, શ્રી ધનસુખભાઈ ભંડેરી ચેરમેન ગુજરાત મ્યુનીસીપાલ કોર્પોરેશન બોર્ડ,  નીતિનભાઈ ભારદ્વાજ ગુજરાત પ્રદેશ ભાજપ અગ્રણી, જીતુભાઈ કોઠારી મહામંત્રી શહેર ભાજપ, કિશોરભાઈ રાઠોડ મહામંત્રી શહેર ભાજપ હાજર રહેશે. આયોજનમાં સમાજના પ્રમુખ અરૂણભાઈ સોલંકી મો.૯૮૨૪૨ ૬૩૩૭૭, ઉપપ્રમુખ નવલસિંહ ચુડાસમા મો.૭૦૧૬૬ ૮૪૦૦૨, મંત્રી ગુલાબસિંહ સોલંકી મો.૯૭૨૭૭ ૫૧૯૯૯ વિ. જહેમત ઉઠાવી રહ્યા છે.

(2:45 pm IST)