Gujarati News

Gujarati News

News of Saturday, 13th March 2021

ઉમેશ રાજ્યગુરૂ દંપતીએ રસી મૂકાવી

રાજકોટઃ રાજ્યના પૂર્વ પ્રધાન શ્રી ઉમેશ રાજ્યગુરૂ અને તેમના જીવનસંગીની કણસાગરા મહિલા કોલેજના વાઈસ પ્રિન્સીપાલ શ્રીમતી જ્યોતિબેન રાજ્યગુરૂએ બીગ બજાર પાસેના કોર્પોરેશનના કેન્દ્રમાં ગઈકાલે કોરોનાની રસી મૂકાવેલ. બન્ને સંપૂર્ણ સ્વસ્થ છે. રાજ્યગુરૂ દંપતીએ જેને રસી મૂકાવા પાત્ર છે તે સૌને રસી અવશ્ય મૂકાવી લેવા અને કોરોનાથી બચવા જરૂરી કાળજી લેવા માટે અપીલ કરી છે. ન કીસીસે હાથ મિલાએ, નમસ્તે કર કે કામ ચલાએ, કોરોના કો દૂર ભગાએ...

(2:40 pm IST)