Gujarati News

Gujarati News

News of Saturday, 13th March 2021

રાજકોટ જિલ્લાના ૬,૩૭,૨૧૬ વીજ ગ્રાહકોને રૂ.૨૪૪૬ લાખની રાહત

(અશ્વીન વ્યાસ) ગાંધીનગર, તા., ૧૩:  રાજકોટ જીલ્લામાં વીજ બીલમાં રાહત અંગે લાખાભાઇ સાગઠીયાના પ્રશ્નના ઉતરમાં ઉર્જા મંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતું કે રાજયમાં તા.૩૧-૧ર-ર૦ની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં કોરોનાની મહામારીની પરિસ્થિતિમાં રાજકોટ જીલ્લાના ઘરવપરાશના વીજ બીલોમાં રાહત આપવામાં આવી છે.

રાજકોટ જીલ્લાના કુલ ૬૩૭૨૧૬ ઘર વપરાશના વીજ ગ્રાહકોને રૂ. ર૪૪૬.૧૩ વીજ બીલમાં રાહત આપવામાં આવેલ છે. રાજય સરકાર આ અંગે ખુબ જ ચિંતીત છે અને સામાન્ય ઘરોમાં રહેતા વીજ ધારકોને કયારેય અન્યાય ન થાય તેની પુરેપુરી કાળજી રાખવામાં આવશે.  રાજય સરકાર રાજયના નાનામાં નાના કુટુંબ અને ગ્રામ્ય વિસ્તારમાં વીજ પુરવઠો પુરતા પ્રમાણમાં મળે તે માટે સતત કાર્યાન્યાવીત છે.

(12:46 pm IST)