Gujarati News

Gujarati News

News of Saturday, 13th March 2021

શાપરમાં બિહારી પરિણિતા રીવા રોયનો ગળાફાંસો ખાઇ આપઘાત

રાજકોટ તા. ૧૩: શાપર વેરાવળમાં નિર્વાણ સોસાયટીમાં રહેતી રીવાબેન હિતેષ રોય (ઉ.વ.૨૬) નામની પરિણિતાએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

મુળ બિહારની રીવાબેને સાંજે આ પગલુ ભરી લેતાં શાપર પોલીસે એ.ડી. નોંધી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો છે. આપઘાત કરનાર રીવાબેનના લગ્ન દોઢ વર્ષ પહેલા થયા છે. તેનો પતિ હિતેષ રોય ખાનગી કંપનીમાં નોકરી કરે છે. આપઘાતનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે. શાપરના પીએસઆઇ વી. બી. બરબસીયાએ વધુ તપાસ હાથ ધરી છે. મૃતકના માતા-પિતાને તેના વતન ખાતે જાણ કરવામાં આવી છે.

(12:42 pm IST)