Gujarati News

Gujarati News

News of Saturday, 13th March 2021

ભગવતીપરામાં મુળ પાકિસ્તાનના નાગરિક રાજાએ ગળાફાંસો ખાધો

લાંબા ગાળાના વિઝાથી અહિ પરિવાર સાથે રહે છેઃ ભાભી જોઇ જતાં જીવ બચી ગયોઃ સારવાર હેઠળ

રાજકોટ તા. ૧૩: ભગવતીપરામાં પોલીસ ચોકી સામે રિધ્ધી સિધ્ધી સોસાયટી-૧માં રહેતાં રાજા તેજપારભાઇ મહેશ્વરી (ઉ.વ.૨૩) નામના યુવાને રાતે નવેક વાગ્યે ઘરમાં ગળાફાંસો ખાઇ લેતાં તે વખતે જ ભાભી જોઇ જતાં દેકારો મચાવતાં ભાઇ, પડોશીઓ બહાર બેઠા હોઇ દોડી આવ્યા હતાં અને રાજાને બેભાન હાલતમાં નીચે ઉતારી તુરત જ સિવિલ હોસ્પિટલમાં ખસેડતાં જીવ બચી ગયો હતો.

રાજા બે ભાઇમાં નાનો છે. આ પરિવાર મુળ પાકિસ્તાનનો વતની છે. અહિ રાજા, તેના ભાઇ-ભાભી અને માતા રહે છે. રાજા આજી જીઆઇડીસીમાં કંપનીમાં કામ કરે છે. તે બેભાન હોઇ આપઘાતના પ્રયાસનું કારણ બહાર આવ્યું નથી. હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી-ડિવીઝન પોલીસને જાણ કરી હતી.

(11:35 am IST)