Gujarati News

Gujarati News

News of Wednesday, 13th March 2019

યુધ્ધ એજ કલ્યાણ ગ્રુપ દ્વારા વિર યોધ્ધાઓની શ્રધ્ધાંજલી કાર્યક્રમ યોજાયોઃ ચિત્રકાર-રાષ્ટ્રવાદી વકતા બાબા સત્યાનારાયણજી મોર્યનુ તેજાબી વકતવ્ય

રાજકોટ તા.૧૩: શ્રી સ્વામી વિવેકાનંદ સમરસતા સમિતિ અને યુધ્ધ એજ કલ્યાણ ગ્રુપ દ્વારા ગઇ કાલે તા.૧૨ના મંગળવારે રાત્રે ૯ કલાકે બોલબાલા માર્ગ, આહિર ચોકથી આગળ વોર્ડ નં.૧૮, ગણેશ કોમ્પ્લેક્ષની બાજુમાં રાજકોટ ખાતે વીર યોદ્ધાઓનો શ્રધ્ધાંજલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ તે વખતની તસ્વીરો જેમાં મુખ્ય અતિથિ તરીકે ભારતીય સૈન્યના વીર યોદ્ધાઓના પરિવાર જનો હાજર રહ્યા હતા આ તકે પ્રખર રાષ્ટ્રવાદી વકતા શ્રી બાબા સત્યનારાયણજી મોર્યના માધ્યમથી દરેક વ્યકિતમાં રાષ્ટ્રપ્રેમની જયોત જલાવી શહિદોને સાચા અર્થમાં શ્રધ્ધાંજલી અર્પણ કરાયેલ.

આ તકે કવિ, ચિત્રકાર અને પ્રખર રાષ્ટ્રવાદી વકતા બાબા સત્યનારાયણજી મોર્ય તેજાબી વકતવ્ય આપ્યુ હતુ અને પાયલોટ અભિનંદનનુ ચિત્ર બનાવ્યુ હતુ. આયોજનને સફળ બનાવવા સર્વશ્રી અશ્વિનભાઇ સોરઠીયા (મો.૯૮૨૪૫ ૨૧૮૮૭), અજયભાઇ બોરીચા, ભરતભાઇ સરધારા, સંજયસિંહ રાણા, નિખીલ દોંગા, મૌલિકસિંહ વાઢેર, મુકેશભાઇ ડાભી, અનિલભાઇ દોંગા, મહેશભાઇ આસોદરીયા, મિતેશભાઇ પીપળીયા, મનીષભાઇ નસીત, મીલનભાઇ સોલંકી, વિક્રમભાઇ આહિર, સંજયસિંહ રાણા, ભરતભાઇ સરધારા,પ્રશાંતભાઇ પાંભર, મહેશભાઇ લુણાગરીયા, અજય બોરીચા, અશ્વિનભાઇ સોરઠીયા વગેરેએ જહેમત ઉઠાવી હતી. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:08 pm IST)