Gujarati News

Gujarati News

News of Wednesday, 13th March 2019

સૌરાષ્ટ્રના સિંહણ તીર્થસ્વરૂપા વચનસિધ્ધિકા બા.બ્ર.પૂ. ઇન્દુબાઇ મ.સ. તીર્થધામમાં સોનલ સદાવ્રત સમારોહ સંપન્ન

૨૨ વસ્તુઓનું વિતરણ

રાજકોટ તા ૧૩ :  ગો.સંપ્ર. ના સૌરાષ્ટ્રના સિંહણ બા.બ્ર.પૂ. ઇન્દુબાઇ મહાસતીજી તીર્થધામમાં ભવ્યાતીભવ્ય સોનલ સદાવ્રત સમારોહ સંપન્ન થયેલ. આ પ્રસંગે તમામ સાધર્મિકોને સવારે દાન રત્ના શારદાબેન મોદી તરફથી ચા સાથે નાસ્તો કરાવાયેલ, ત્યારબાદ  નમસ્કાર મહામંત્રના જાપ તથા ગુરૂદર્શન પછી જીવન જરૂરિયાતની ૨૧ વસ્તુઓનું વિતરણ કરવામાંઆવેલ હતું.

નાલંદા તીર્થધામમાં છેલ્લા ૧૮ વર્ષથી સોનલ સદાવ્રત,સોનલ શૈક્ષણિક સહાય, સોનલ સારવાર સહાય સાથે જીવદયાનું કાય ર્ચાલી રહેલું  છે. દરેક સીઝનને અનુરૂપ જીવન જરૂરી વસ્તુઓનુ ંવિતરણ કરવામાં આવે છે.દર  ૨૦ તારીખે ૧૦ થી ૧૧ ગરીબોને  દવા આપવામાં આવે  છે. દરરોજ સવાર ેબે કલાક જીવદયાનું કાર્ય ચાલી રહેલ છે. હમણાંજ બારમાસી મસાલાનું વિતરણ રાખેલ હતું.

આ પ્રસંગે  દાતાઓ  શ્રેષ્ઠીવર્યો  આગેવાનો સર્વશ્રી  અશોકભાઇ  દોશી જયેશભાઇ માવાણી, નિલેશભાઇ શાહ, ભુપેન્દ્રભાઇ મહેતા, જયેશભાઇ સંઘાણી, પ્રદિપભાઇ માવાણી, પરેશભાઇ દફતરી, રાજીવભાઇ ઘેેલાણી, નીતીનભાઇ મહેતા, સોનલ સેવા મંડળ,સોનલ સખી મંડળ, સોનલ સેવા ગ્રુપ, સોનલ સહાય મંડળ, ગોૈરવભાઇ દોશી, પરેશભાઇ ચાવડા, આશિષભાઇ શેઠ, નિલેશભાઇ શેઠ, જયભાઇ વોરા, ચારૂબેન વોરા, હર્ષાબેન દોશી , આદિ સોનલ સેવા ગ્રુપના સભ્યોએ હાજર રહી સેવા બજાવી હતી.

(3:46 pm IST)