Gujarati News

Gujarati News

News of Wednesday, 13th March 2019

સદ્દગુરૂનગરના રજપૂત મહિલા વર્ષાબેન વાઢેરનું બેભાન હાલતમાં મોતઃ ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ

રાજકોટ તા. ૧૩: કુવાડવા રોડ પર સદ્દગુરૂનગર-૪ મેહુલ સ્કૂલ સામે રહેતાં વર્ષાબેન અશોકભાઇ વાઢેર (ઉ.૩૫) નામના રજપૂત મહિલા ઘરે બેભાન થઇ જતાં વોકહાર્ટ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ  તેમનું મોત નિપજ્યું હતું. મોતનું કારણ જાણવા ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવાયું છે.

વર્ષાબેન વાઢેર ઘરે બેભાન થઇ જતાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતાં. પરંતુ દમ તોડી દીધો હતો. મૃત્યુ પામનાર મહિલાના પતિ વેપાર કરે છે. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો. બી-ડિવીઝનના પીએઅસાઇ ઝાલા અને મયુરસિંહે જરૂરી કાર્યવાહી કરી હતી. વર્ષાબેનના માવતર પણ રાજકોટમાં રૈયા સર્કલ પાસે રહે છે. પિતાનું નામ વિજયભાઇ મુળુભાઇ ચોૈહાણ છે. (૧૪.૫)

(11:50 am IST)