Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

વિઠ્ઠલભાઇની તબીયત સુધારા પરઃ એકાદ દિ'માં રજા અપાશે

રાજકોટ, તા., ૧૩: જિલ્લા સહકારી બેંકના ચેરમેન અને પોરબંદરના સંસદ સભ્ય વિઠ્ઠલભાઇ રાદડીયાની તબીયતમાં લાંબી તબીબી સારવાર બાદ સુધારો જણાઇ રહયો છે. તેઓ ૪II માસ જેટલા સમયથી અમદાવાદની ખાનગી હોસ્પીટલમાં સારવાર હેઠળ છે. ત્યાંથી એક-બે દિવસમાં જ રજા મળે તેવા નિર્દેષ મળી રહયા છે.

વિઠ્ઠલભાઇની નજીકના વર્તુળોના જણાવ્યા મુજબ તેમની તબીયતમાં આશાવર્ધક સ્તત સુધારો છે. વીસેક દિવસથી આઇસીયુની બહાર લઇ લેવામાં આવ્યા છે. પ્રવાહી સ્વરૂપે ખોરાક આપવામાં આવી રહયો છે. હાથ-પગનું હલનચલન સ્વયંભુ કરવા લાગ્યા છે. નજીકના ભવિષ્યમાં જ ફરી સંપુર્ણ સભાન અવસ્થામાં આવી જાય તેવી આશા બળવાન બની છે.

રજા આપ્યા પછી તબીબોએ સંપુર્ણ આરામની સલાહ આપી છે. રજા આપ્યા પછી તેમને ગાંધીનગર, અમદાવાદ અથવા જામકંડોરણા બંગલે રાખવામાં આવશે.

(4:38 pm IST)