Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

ડેરીમાં ગોવિંદભાઇને ફરી ચેરમેન બનાવવા બધા સહમતઃ રાદડિયા

ઘીના ઠામમાં ઘી પડી ગયાનો કેબીનેટ મંત્રીનો દાવો

રાજકોટ, તા. ૧૩ : જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ (ડેરી)માં ચૂંટાયેલા સભ્યો વચ્ચેનું મનદુઃખ મટી ગયાનું અને બધા સભ્યો ફરી ગોવિંદભાઇ રાણપરિયાને ચેરમેન બનાવવા સહમત હોવાનું જિલ્લા બેંકના ચેરમેન અને કેબીનેટ મંત્રી શ્રી જયેશ રાદડિયાનું કહેવું છે. તા. ૯મીએ આંતરિક ખેંચતાણના કારણે છેલ્લી ઘડીએ ચૂંટણી મોકુફ રહ્યા બાદ હવે ફરી ચૂંટણી કરવાનો માર્ગ મોકળો થયો છે.

શ્રી જયેશ રાદડિયાએ આજે અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે, અમુક સભ્યોનું મનદુઃખ હતું તેનો ઉકેલ આવી ગયો છે. હવે કોઇ વિવાદનથી તમામ ૧૪ સભ્યો સર્વાનુમતે ગોવિંદભાઇને જ ચેરમેન બનાવવા કોઇપણ જાતની શરત વગર સહમત છે.

(4:04 pm IST)