Gujarati News

Gujarati News

News of Wednesday, 13th February 2019

ભાજપના શકિત કેન્દ્ર વિસ્તારક અભ્યાસ વર્ગ

રાજકોટમાં ભાર્ગવ ભટ્ટ, જામનગરમાં ભીખુભાઈ, સુરેન્દ્રનગર-જૂનાગઢમાં નીતિન ભારદ્વાજ, મોરબી-દ્વારકામાં પ્રદીપ ખીમાણી, અમરેલી-ભાવનગરમાં મહેશ કસવાલા વકતાઃ ગુજરાતમાં કુલ ૩૭ સ્થાનો પર વર્ગ

રાજકોટ, તા. ૧૩ :. ગુજરાત ભાજપ દ્વારા તા. ૧૫ થી ૧૯ સુધી રાજ્યમાં ૩૭ સ્થાનો પર શકિત કેન્દ્ર વિસ્તારક અભ્યાસ વર્ગ યોજાશે. જેમાં લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને કાર્યકરોની કામગીરી વિશે માર્ગદર્શન અપાશે. સૌરાષ્ટ્રમાં ૧૨ સ્થાનો પર અભ્યાસ વર્ગનું આયોજન છે.

તા. ૧૭મીએ મોરબીમાં પ્રદીપ ખીમાણી અને સુરેન્દ્રનગરમાં નિતીન ભારદ્વાજ અભ્યાસ વર્ગમાં માર્ગદર્શન આપશે. તા. ૧૮મીએ રાજકોટ શહેર અને જિલ્લાના અભ્યાસ વર્ગમાં પ્રદેશ ઉપાધ્યક્ષ ભાર્ગવ ભટ્ટ તથા તે જ દિવસે પોરબંદર અને ગીર સોમનાથના વર્ગમાં મહેશ કસવાલા તેમજ જૂનાગઢ શહેર જિલ્લાના વર્ગમાં નિતીન ભારદ્વાજ ઉપસ્થિત રહેશે. તા. ૧૯મીએ દ્વારકામાં પ્રદીપ ખીમાણી, જામનગર શહેર જિલ્લામાં ભીખુભાઈ દલસાણીયા, અમરેલી અને ભાવનગર શહેર જિલ્લામાં મહેશ કસવાલા તેમજ બોટાદના અભ્યાસ વર્ગમાં અમોહભાઈ શાહ મુખ્ય વકતા તરીકે ઉપસ્થિત રહેશે.(૨-૬)

(11:25 am IST)