Gujarati News

Gujarati News

News of Saturday, 12th December 2020

ગંજીવાડામાં માનસીક બીમારીથી કંટાળી ભારતીબેન કકકડનો સળગીને આપઘાતઃ મકાન પણ સળગ્યુ

ફાયર બ્રિગેડ સ્ટાફે આગ બુઝાવીઃ આગમાં ગાદલા, ગોદળા સહિતની ઘરવખરી બળી ગઇ

રાજકોટ તા. ૧રઃ ભાવનગર રોડ પર ગંજીવાડામાં રહેતી મહિલાએ માનસીક બીમારીથી કંટાળી સળગી ઉઠતા મકાનમાં પણ આગ લાગતા ફાયર બ્રિગેડ સ્ટાફે સ્થળ પર પહોંચી આગ બુજાવી હતી અને મહિલાનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.

મળતી વિગત મુજબ ગંજીવાડા ગંજીવાડા શેરી નં. પ માં રહેતા ભારતીબેન વિનોદભાઇ કકકડ (ઉ.વ. પ૧) એ સવારે પોતાના ઘરે શરીર પર જવલનશીલ પ્રવાહી છાંટી સળગી ઉઠતા દેકારો બોલતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. મહિલા સળગતા મકાનમાં પણ આગ લાગી હતી. બાદ કોઇએ જાણ કરતા ફાયબ બ્રિગેડ સ્ટાફ બે ફાયર ફાઇટર અને એક એમ્બ્યુલન્સ સાથે ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવી હતી. અને મહિલાને ગંભીર રીતે દાઝેલી હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં મહિલાનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. જાણ થતા થોરાળા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. આગમાં ગાદલા ગોદળા સહિતની ઘરવખરી બળી ગઇ હતી. મૃતક ભારતીબેનના પતિ વિનોદભાઇ ઘર નીચે જ ફરસાણની દુકાન ધરાવે છે. તે આજે સવારે લૌકીક કામ સબબ વાંકાનેર જતા પાછળથી મહિલાએ આ પગલું ભરી લીધું હતું. મહિલાએ માનસીક બીમારીના લીધે આ પગલું ભર્યું હોવાનું જાણવા મળે છે.

(3:23 pm IST)