Gujarati News

Gujarati News

News of Saturday, 12th December 2020

ખેડુત આંદોલન ખેડુતોને ગુમરાહ કરવાનો પ્રયાસ : ગોવિંદભાઇ પટેલ

રાજકોટ તા. ૧૨ : ખેડુત આંદોલન ખેડુતોને ગુમરાહ કરવાનો પ્રયાસ છે. સાચી દીશામાં કામ કરતી મોદી સરકારના માર્ગમાં રોળા નાખવાનો પ્રયાસ છે. તેમ ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલે જણાવ્યુ છે.

તેઓએ જણાવ્યુ છે કે કોંગ્રેસના શાસનમાં કયારેય સરકારે સપોર્ટ ભાવથી ખરીદી કરેલ નથી. આજે ભારતનો ખેડુત પોતાની ઉત્પાદનની જણસ સરકારે નકકી કરેલા ભાવથી વેચતો થયો છે. નવી ખેડુત નીતિથી ખેડુતના ઘરેબેઠા માલ વેચાણના કારણે તોલાટ, માલ પરિવહન ભાડુ, દલાલી વગેરેમાંથી મુકિત મળી જાય તેમ છે. આવા તો કેટલાય ફાયદા ખેડુત હીતમાં હોવાનું ગોવિંદભાઇ પટેલે અંતમાં જણાવેલ છે.

(3:21 pm IST)