Gujarati News

Gujarati News

News of Saturday, 12th December 2020

જીવદયાપ્રેમી કીશોરભાઇ કોરડીયા દ્વારા જન્મદિનની સેવામય ઉજવણી : વિવિધ સંસ્થાઓને અનુદાન

સરકારની ગાઇડ લાઇનના પાલન સાથે કાલે અર્પણ સમારોહ

રાજકોટ તા. ૧૨ : નમ્રમુની મહારાજના ઉપદેશને અનુસરી જૈન અગ્રણી અને જીવદયાપ્રેમી કિશોરભાઇ કોરડીયા દ્વારા પોતાના જન્મ દિવસની સેવામય ઉજવણી કરવામાં આવી હતી. આ માટે વિવિધ પાંજરાપોળો માટે અનુદાન જાહેર કરેલ છે.

તેમજ વૃધ્ધાશ્રમ અને ધાર્મિક કાર્યો કરતી અન્ય સંસ્થાઓ તથા જરૂરતમંદોને ધાબળા વિતરણ સહીતનો કાર્યક્રમ કાલે તા. ૧૩ ના રવિવારે સવારે ૧૦.૩૦ વાગ્યે તેમના નિવાસ સ્થાન નીલ રશ્મી, બહેરા મુંગા સ્કુલ સામે, ઢેબરરોડ ખાતે સરકારના નિયમોને આધીન સોશ્યલ ડીસ્ટન્સ અને માસ્ક પાલન સાથે યોજેલ હોવાનું એક યાદીમાં જણાવાયુ છે.

(3:20 pm IST)