Gujarati News

Gujarati News

News of Saturday, 12th October 2019

હીરામણિ વૃધ્ધાશ્રમના આશ્રિતોને આંગણે જ મળ્યા માં વાત્સલ્ય કાર્ડ

રાજકોટ : અમદાવાદના હીરામણિ સાંધ્યજીવન કુટિર (વૃદ્ધાશ્રમ)માં રહેતા ૧૦૦ જેટલા વડીલો રહે છે. ગુજરાત રાજય આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલોને વૃદ્ધાશ્રમમાં જ કેમ્પનું આયોજન કરી ૭૩ વડીલોને ''મા વાત્સલ્ય કાર્ડ'' વિતરણ આવ્યા હતા. આ કાર્ડ મળવાથી તમામ વડીલોના ચહેરા ઉપર ખુશી જોવા મળી હતી. ગંભીર બીમારીઓમાં સરકાર તરફથી મળતી મફત સારવારનો લાભ વડીલો આ કાર્ડ દ્વારા મેળવી શકે. આ કેમ્પમાં આરોગ્ય વિભાગ, મામલતદાર ઘાટલોડિયા તથા તલાટીનો સહયોગ મળ્યો હતો. તેમ સંસ્થાના પ્રમુખ નરહરિઅમીન જણાવે છે.

(3:49 pm IST)