Gujarati News

Gujarati News

News of Saturday, 12th October 2019

સત્યમ પાર્કમાં સોની પ્રોૈઢ મુકેશભાઇ ધંધુકીયાનો ગળાફાંસો ખાઇ આપઘાત

સોની પ્રોૈઢ માનસીક તકલીફના કારણે પગલુ ભર્યાનું ખુલ્યું

રાજકોટ તા ૧૨  : એંસી ફૂટ રોડ પર સત્યમ પાર્કમાં રહેતા સોની પ્રોૈઢે માનસીક તકલીફના લીધે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે.

મળતી વિગત મુજબ સત્યમ પાર્ક શેરી નં.૧, બ્લોક નં.એ-પ માં રહેતા મુકેશભાઇ વનમાળીદાસભાઇ ધંધુકીયા (ઉ.વ.પપ) એ રાત્રે પોતાના ઘરે રૂમમાં પંખા સાથે સાડી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો, તેના ભાઇ બોલાવા જતા દરવાજો બંધ હોઇ ખખડાવતા તેણે ન ખોલતા દરવાજો તોડી રૂમમાં મુકેશભાઇને લટકતી હાલતમાં જોતા તાકીદે ૧૦૮માં જાણ કરતા, ૧૦૮ની ટીમે સ્થળપર પહોંચી તપાસ કરતા તેનું મૃત્યુ નિપજયું હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતા થોરાળા પોલીસ મથકના એ.એસ.આઇ. ગોકળભાઇ વાસાણી તથા રાઇટર કિશોરભાઇએ સ્થળપર પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃતક મુકેશભાઇ તેના ભાઇ સાથે કોઠારિયા નાકા પાસે સિલ્વર માર્કેટમાં આવેલી દુકાનમાં માળા બનાવવાનું કામ કરતા હતા. તેને માનસીક તકલીફ હોઇ તેથી તેણે આ પગલુ ભર્યુ હોવાનું પોલીસની તપાસમાં ખુલ્યું છે.

(3:41 pm IST)