Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

દાઉદી વ્હોરા સમાજ દ્વારા ઇદની ઉજવણીઃ રાજકોટમાં નુર મસ્જીદ ખાતે નમાઝ

રાજકોટઃ વિશ્વભરમાં ગઇકાલે દાઉદી વ્હોરા સમાજ દ્વારા ઇદની   ઉજવણી થઇ હતી. રાજકોટ શહેરમાં નુર મસ્જીદમાં જનાબ આમીલ સાહેબ મુસ્તફાભાઇ સાહેબ વજીદીએ ઇદની નમાજ પઢાવાયેલ હતી.  આ ઉપરાંત બદરી મસ્જીદ, બુરહાની મસ્જીદ કુત્બી મસ્જીદ, નજમી મસ્જીદ, બદરી હોલ, ઝકવી હોલ ખાતે પણ ઇદની નમાઝ પઢાવાયેલ હતી. સમગ્ર સૌરાષ્ટ્ર સહિત દુનિયાભરમાં દાઉદી વ્હોરા સમાજ દ્વારા ઇદની નમાજ પઢાયેલ હતી. બાદમાં એક બીજાને સલામ કરી ઇદની મુબારક બાદી આપી હતી. તેમ શેખ યુસુફભાઇ જોહરકાર્ડવાળાની યાદીમાં જણાવાયું છે.

(1:28 pm IST)