Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

જય રઘુવીર વેવીશાળ માહિતી કેન્‍દ્ર સુરેન્‍દ્રનગર દ્વારા પ જુને રાજકોટ ખાતે પરિચય મેળો

રાજકોટ તા. ૧૨ : જય રઘુવીર વેવીશાળ કેન્‍દ્ર સુરેન્‍દ્રનગર દ્વારા તા. ૫ જુનના રવિવારે રાજકોટ ખાતે પાંચમો અને કેન્‍દ્રનો આઠમો પરિચય મેળો યોજવામાં આવેલ છે.

આ અંગે ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા આગેવાનોએ જણાવેલ કે કેસરીયા લોહાણા મહાજન વાડી, કાલાવડ રોડ ખાતે યોજાયેલ આ પરિચય મેળા માટે નામ નો઼ધણી ચાલુ છે. અત્‍યાર સુધીમાં ૨૨૫ થી વધુ એન્‍ટ્રી થઇ ચુકી છે. તા. ૨૨ મે સુધી ફોર્મ ભરી શકાશે.

સમગ્ર આયોજનને સફળ બનાવવા સૌરાષ્‍ટ્ર ગુજરાત તથા મુંબઇના મહાજન શ્રેષ્‍ઠીઓ તથા મેરેજ બ્‍યુરો ચલાવતા સંચાલકો તથા રઘુવંશી આગેવાનો જહેમત ઉઠાવી રહ્યા છે.તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા નરેન્‍દ્રભાઇ પુજારા, હરેશભાઇ કોટક, મહેશભાઇ રાજા (મોરબી), મુકેશભાઇ ખખ્‍ખર, જયંતભાઇ બુધ્‍ધદેવ, નરેન્‍દ્રભાઇ તન્‍ના, કે. જે. ભાયાણી, પિયુષભાઇ તન્‍ના, બ્રિજેશભાઇ શીંગાળા નજરે પડે છે. (તસ્‍વીર : અશોક બગથરીયા)

(3:49 pm IST)