Gujarati News

Gujarati News

News of Sunday, 12th May 2019

ભીસ્તીવાડમાં માનવ સેવા સમિતિના સભ્યોની કારમાં તોડફોડ કરનાર હકુભા ખીયાણી અને તેના બે પુત્રો સામે ગુનો નોંધાયો

રાજકોટ : ભીસ્તીવાડ સ્લમ કવાર્ટર નં.૮૦માં રહેતા અને માનવ સેવા સમિતિ ચેરીટેબલ ટ્રસ્ટની કાર ચલાવત સુનીલ રમણીભાઇ સોનગ્રા (ઉ.વ.૨૯)એ પ્ર.નગર  પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ગત તા.૨૨-૪ના રોજ પોતે તથા ઇમરા મેણુ તથા માનવ સેવા સમિતિ ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યો પંકજ કમલેશભાઇ બારોટ સહિત રાજકોટથી મોરબી હાઉસ પાસેથી અલગ-અલગ કારમાં મોરબી મોહનભાઇને સંસ્થા બાબતની ઔપચારીક વાત કરવા માટે મુલાકાત લેવા માટે જતા હતા તે વખતે હકુભા ઉર્ફે અકબર ખીયાણી અમારી પાસે આવેલ અને કહેલ કે મારી પણ તમારી સાથે મોરબી આવવું છે જેથી ઇમરાનભાઇ મેણુએ તેને ના પાડી હતી. ત્યાર બાદથી હકુભા તે બાબતનો ખાર રાખી અવારનવાર ઇમરાનભાઇ મેણુ સાથે બોલાચાલી કરતો હોઇ તે બાબતે તેણે ગત તા. ૭-પના રોજ પ્ર. નગર પોલીસ મથકમાં અરજી કરી હતી, તેથી પરમ દિવસે હકુભા ખીયાણીએ ઘર પાસે આવી ગાળાગાળી કરી ઇમરાનભાઇ મેણુની કારમાં તથા અન્ય વાહનોમાં તોડફોડ કરી આતંક મચાવ્યો હતો. આ અંગે પ્ર.નગરના પી.એસ.આઇ. આર.એન. હાપલીયાએ તપાસ આદરી છે.

(1:45 pm IST)