Gujarati News

Gujarati News

News of Thursday, 12th April 2018

રાજકોટ મેયર સહિતના પદાધિકારીઓ દ્વારા મહાત્મા જયોતિરાવ ફૂલેની જન્મજયંતી નિમિતે પુષ્પાંજલિ અર્પણ

રાજકોટ મહાનગરપાલિકા દ્વ્રારા આજે મહાત્મા જયોતિરાવ ફૂલેની ૧૯૧મી જન્મજયંતી નિમિતે તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે મેયર ડાઙ્ખ. જૈમન ઉપાધ્યાય, ડે. મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન પુષ્કરભાઇ પટેલ,શાસક પક્ષ નેતા અને ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન જયમીન ઠાકર, આરોગ્ય સમિતિ ચેરમેન મનીષભાઈ રાડીયા, બાગ બગીચા અને ઝૂ કમિટી ચેરમેન દેવુબેન જાદવ, વોટર વર્કસ કમિટી ચેરમેન દલસુખભાઈ જાગાણી,અંજનાબેન મોરજરીયા, શિક્ષણ સમિતિ સભ્ય, મુકેશભાઈ મેહતા, કિરણબેન માકડીયા, પુર્વ કોર્પોરેટર રાજુભાઈ બોરીચા, મનસુખભાઈ જાદવ,હેમુભાઈ પરમાર,બી.બી ખીમસુરીયા, આસીસ્ટન્ટ મેનેજર અમિત ચોલેરા,  વિગેરે દ્વારા શ્રી મહાત્મા જયોતિરાવ ફૂલેની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવેલ.

(3:50 pm IST)