Gujarati News

Gujarati News

News of Thursday, 12th April 2018

આંબેડકર જયંતિ અને વિશ્વ પરિવાર દિવસ નિમિતે શનિ-રવિ ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિરે વિશેષ કાર્યક્રમ

વકતાઃ જગદિશભાઇ રાઠોડ (નિવૃત ફોરેસ્ટ ઓફિસર)મિસ્ત્રી નિતિનભાઇ ચાંદેગ્રા

રાજકોટઃ ઓસો ના સુત્ર ''ઉત્સવ આમાર જાતી આનંદ આમાર ગોત્ર'' ને સાર્થક કરતા વિવિધ કાર્યક્રમો જેવા કે ઓસો ધ્યાન શિબિરો, ઓસો સાહિત્ય પ્રદર્શનો,ઓસો સન્યાસ ઉત્સવ,ભજન-કિર્તન, ગીત-સંગીત, વિવિધ સંપ્રદાયોના ઉત્સવો, વિશ્વ દિવસ વગેરે છેલ્લા ૩૨ વર્ષો થી રાજકોટ ના ઓેસો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર પર અવાર નવાર ઉજવવામાં આવે છે.

આગામી તા.૧૪ શનિવાર ના રોજ ડો.બાબાસાહેબ આંબેડકર જયંતિ નિમિતે તથા તા. ૧૫ રવિવાર ના રોજ વિશ્વ પરિવાર દિવસ નિમિતે ઓસો સત્યપ્રકાશ ધ્યાન મંદિર પર બંન્ને દિવસે સાંજે ૬થી ૮.૩૦ દરમ્યાન ''ઓશો અને આંબેડકર'' તથા વિશ્વ પરિવાર દિવસ પર ઓશો સન્યાસી જગદિશભાઇ રાઠોડ (નિવૃત ફોરેસ્ટ ઓફિસર) તથા મિસ્ત્રી નિતીનભાઇ ચાંદેગ્રા ના પ્રવચનનો વિશેષ કાર્યક્રમ તથા સંધ્યા સત્સંગ,ઓશો કિર્તન, તથા ઓશો ના ઓડિયો પ્રવચનનો વિશેષ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

સ્થળઃ ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિર,ગોંડલ રોડ,વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે, ૪ વૈદવાડી રાજકોટ

માહિતી માટેઃ- સ્વામી સત્યપ્રકાશઃ- ૯૪૨૭૨૫૪૨૭૬, જયેષભાઇ કોટકઃ-૯૪૨૬૯૯૬૮૪૩, અશોકભાઇ રાવલ (મોરબી):- ૮૪૬૯૭૬૦૯૪૭.

(3:47 pm IST)