Gujarati News

Gujarati News

News of Thursday, 12th April 2018

ખોટો વિવાદ ઉભો કરી ચૂંટણી ઘોંચમાં નાખી

ઝાલાવડી વિશાશ્રીમાળી સોની સમાજના તમામ સભ્યો સમાજના જ છે : રવિવારે કારોબારી સમિતિની ચૂંટણીઃ દિનુમામાની જાગૃત પેનલનું ઓમ નિશાન

રાજકોટ, તા.૧૨: શ્રી ઝાલાવાડી વિશા શ્રીમાળી સોની સમાજ રાજકોટની આગામી ૩ વર્ષ માટેની કારોબારી સમિતિની ચૂંટણીમાં જાગૃત પેનલના દિનેશભાઈ કે.પારેખ (દિનુમામા)ની આગેવાનીમાં ઁના નિશાનથી ૧૮ સભ્યો ચૂંટણી લડી રહયા છે. જેને સમગ્ર સમાજનાં આવકાર મળી રહયો છે.

કારોબારી સમિતિની ચૂંટણી આગામી તા.૧૫ને રવિવારે સવારના ૮ થી સાંજના ૫ સુધી સોની સમાજની વાડી કોઠારીયાનાકા ખાતે રાખેલ છે.

સૌરાષ્ટ્ર ગુજરાત તેમજ ગુજરાત બહાર પણ અનેકવિધ પ્રવૃતિઓના કારણે આહરનું સ્થાન ધરાવતી રાજકોટની શ્રી ઝાલાવડી વિશાશ્રીમાળી સોની સમાજ- સંસ્થા પાસે પાંચ વાડી હોલ હોય જે ગુજરાતમાં કોઈપણ શહેરના સોની સમાજ પાસે નથી, તેમાંય છેલ્લાં ૧૦ વર્ષ થયાં દિનુમામાની આગેવાનીમાં રાજકોટની આ સંસ્થાએ ખૂબજ વિકાસ કર્યો છે.

શ્રી દિનુમામાની જાગૃત પેનલના ઉમદવારો, અરવિંદભાઈ પારતવા,  છબીલદાસ એન.રાણપરા, પરેશભાઈ જી.બારભાયા (પી.જી.), કિશોરભાઈ આડેસરા (ધ્રોલ), મહેન્દ્રભાઈ પારેખ (પીઠડ), દિપકભાઈ એન.આડેસરા, મથુરભાઈ મઘડીયા, મુકેશભાઈ ઝુંસાણી, દિપકભાઈ ટી. પાટડીયા, ભરતભાઈ આર.પાટડીયા (ઝવેરી), જીતેન્દ્રભાઈ એચ. પાટડીયા, કિશોરભાઈ બારભાયા (આફ્રિકા વાળા), મિલનભાઈ રાણપરા, મહેન્દ્રભાઈ એન. બારભાયા, પરેશભાઈ બી.બારભાયા, દેવેન્દ્રભાઈ પી.બારભાયા તથા રમેશભાઈ ચંદુલાલ રાધનપુરા.

તસ્વીરમાં અરવિંદભાઈ પાટડીયા, પરેશભાઈ બારભાયા, મુકેશભાઈ ગુંસાણી, મહેન્દ્રભાઈ બારભાયા, મહેન્દ્રભાઈ પારેખ, કિશોરભાઈ આડેસરા, મિલનભાઈ રાણપરા, દિપકભાઈ આડેસરા, ભરતભાઈ પારડીયા, દિપકભાઈ પારડીયા અને દેવેન્દ્રભાઈ બારભાયા નજરે પડે છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:45 pm IST)