Gujarati News

Gujarati News

News of Thursday, 12th April 2018

સ્વયમ સૈનિક દળ શનિવારે પોરબંદરમાં ડો.આંબેડકરજીને વંદના કરશેઃ અધિવેશન

ભીમરેલી સાથે મહાસલામીનું પણ આયોજન

રાજકોટ, તા.૧૨: આગમી તા.૧૪ને શનિવારે ડો.બાબા સાહેબ આંબેડકરજીની ૧૨૭મી જન્મજયંતી નિમિતે સ્વયમ્ સૈનિક દળ દ્વારા ગુજરાત અને અન્ય રાજયોના સૈનિકો પોરબંદર ખાતે સવારે ૧૧ કલાકે ડો.બાબા સાહેબ આંબેડકરને સલામી આપશે અને ત્યારબાદ સભા રૂપાંતરિત થઈ મુળનિવાસી મહાનાયકોના વિચારો અને મિશન અંગે ચર્ચા કરવામાં આવશે.

ભીમરેલી સવારે ૧૦ થી ૧૧ નિકળશે. મહાસલામીનું સ્થળ ડો.બાબા સાહેબની પ્રતિમા, પોરબંદર, અધિવેશનનો સમય બપોરે ૧૨ થી બપોરે ૩ સુધી સ્થળ ચોપાટી ગ્રાઉન્ડ પોરબંદર.

(3:45 pm IST)