Gujarati News

Gujarati News

News of Thursday, 12th April 2018

પરશુરામ જયંતિ અંતર્ગત કિસાનપરા ચોકમાં મૂર્તિ સ્થાપન- બાઈકરેલી

બ્રહ્મદેવ સમાજ દ્વારા કાલથી વિવિધ કાર્યક્રમોઃ દાદાનું સામૈયુ નિકળશે

રાજકોટ, તા.૧૨: ભગવાન પરશુરામ દાદાનો જન્મોત્સવ આવી રહયો છે. ત્યારે અહિના કિસાનપરા ચોકમાં મહોત્સવ મહાયજ્ઞનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવેલ છે.

શ્રી બ્રહ્મદેવ સમાજ રાજકોટ દ્વારા તા.૧૩ થી ૧૭ સુધી આયોજીત વિવિધ કાર્યક્રમો અંતર્ગત આવતીકાલે સાંજે ૪ કલાકે દાદાનું સામૈયુ નિકળશે. તા.૧૫ના સાંજે ૪ વગ્યાથી વેદમાતા ગાયત્રીધામ થી કિસાનપરા ચોક સુધી બાઈકરેલી નિકળશે. ૧૬મીના સમસ્ત બ્રહ્મસમાજના બહેનો માટે રાસોત્સવ યોજાયેલ છે. ૧૭મી ભાવિકોને અન્નકોટ દર્શનનો લ્વાહો મળશે.

આયોજનને સફળ બનાવવા સંસ્થાના બહેનો ધાત્રીબેન ભટ્ટ, રીટાબેન લખલાણી, રીટાબેન જોશી, કલ્પનાબેન ત્રિવેદી, કાજલબેન પંડ્યા, જાગૃતિબેન જોષી, સાધનાબેન રાજગોર, વંદનાબેન જાની, ડો.ધારાબેન ઠાકર, કલ્પનાબેન લખલાણી વગેરે જોડાયા છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:44 pm IST)