Gujarati News

Gujarati News

News of Thursday, 12th April 2018

કોર્પોરેશનના સફાઇ કામદારો માટે બપોરના સમયમાં ફેરફાર કરોઃ કોંગ્રેસ

ઉનાળાની ઋતુમાં આ અંગે યોગ્ય નિર્ણય કરવાં કોંગી કોર્પોરેટર જાગૃતિબેન ડાંગર દ્વારા રજુઆત

રાજકોટ,તા.૧૨: ઉનાળાની સીઝનમાં શહેરના સફાઇ કામદારોને બપોરના સમયમાં ફેરફાર કરવા વોર્ડનં. ૧૩ના કોંગી કોર્પોરેટરો જાગૃતિબેન ડાંગર દ્વારા મ્યુનિ. કમિશ્નરને લેખિત પત્ર પાઠવી આ અંગે યોગ્ય કરવા રજુઆત કરવામાં આવી છે.

આ અંગે કોર્પોરેટરે પાઠવેલ પત્રમાં જણાવ્યુ હતુ કે ૮૪ હજાર જેટલા સમગ્ર રાજકોટના સફાઇ કામદારોને બપોરનો જે સમય છે તેમાં ફેરફાર કરી કાળઝાળ ગરમીમાં બપોરનો સમય ૪થી ૭ નો કરવા કોર્પોરેટરએ  અંતમાં જણાવ્યું છે.(૧.૧૫)

(3:37 pm IST)