Gujarati News

Gujarati News

News of Thursday, 12th April 2018

ભાજપના ઉપવાસ નૌટંકીઃ કોંગ્રેસ

અનાજ, કઠોળ, પેટ્રોલ, ડીઝલના ભાવ પ્રશ્ને સાંસદ કયારે ઉપવાસ કરશે?: કોર્પોરેટર-ફરીયાદ સેલના આગેવાનો સવાલ

રાજકોટ તા. ૧ર :.. રાજકોટ સમગ્ર ભારતમાં ભાજપના દેશવ્યાપી ઉપવાસ -ધરણાએ નૌટંકી હોવાનો આક્ષેપ કોંગી કોર્પોરેટર દિલીપ આસવાણી કોંગ્રેસના ફરીયાદ સેલનાં આશિષસિંહ વાઢેર, મહેન્દ્રભાઇ પટેલ તથા ગજેન્દ્રસિંહ ઝાલા સહિતના આગેવાનો દ્વારા કરવામાં આવ્યા છે.

આ અંગે કોંગી કોર્પોરેટર તથા કોંગ્રેસ ફરીયાદ સેલના આગેવાનોએ એક યાદીમાં જણાવ્યું છે કે, હાલ સમગ્ર ભારતમાં પેટ્રોલ, ડીઝલ તથા અનાજ, કઠોળના ભાવો આસમાને છે ત્યારે શાસક પક્ષનાં સાંસદો આ પ્રશ્ન સામે કયારે ઉપવાસ પર બેસશે તથા આ ઉપવાસનો ખર્ચ કોના ખંભે ? સહિતના સવાલો કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવ્યા છે.

(3:37 pm IST)