Gujarati News

Gujarati News

News of Thursday, 12th April 2018

રાજકોટમાં ભાજપના ઉપવાસ ધરણા

રાજકોટ : કોંગ્રેસ દ્વારા સંસદીય કાર્યવાહી ખોરવવાની ઘટનાઓના વિરોધમાં ભાજપ દ્વારા આજરોજ ઢેબર ચોક ખાતે ઉપવાસનો કાર્યક્રમ યોજાયો છે. સાંસદ મોહનભાઈ કુંડારીયા આખો દિવસ ઉપવાસ ધરણા કરશે. કોંગ્રેસની નબળી માનસિકતા ખુલ્લી પાડવા આ કાર્યક્રમ યોજાયો છે. જેમાં ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ ડી. કે. સખીયા, શ્રીમતી અંજલીબેન રૂપાણી,જશુબેન કોરાટ, ડે. મેયર ડો. દર્શિતાબેન શાહ, કાશ્મીરાબેન નથવાણી, ભાનુબેન બાબરીયા સહિતના ભાજપના આગેવાનો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. જે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(12:57 pm IST)