Gujarati News

Gujarati News

News of Tuesday, 12th March 2019

શનિવારે ચેમ્બર ઓફ કોમર્સનું સ્નેહમિલનઃ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉપસ્થિત રહેશે

સાંસદ મોહનભાઈ કુંડારિયા, મેયર શ્રીમતી બીનાબેન આચાર્ય, ત્રણેય ધારાસભ્યો ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠિયા હાજર રહેશે : પ્રમુખ વી.પી. વૈષ્ણવ અને માનદ મંત્રી નૌતમભાઈ બારસિયા અકિલાની શુભેચ્છા મુલાકાતે

અકિલા કાર્યાલયની મુલાકાતે આવેલા ચેમ્બરના પ્રમુખ વી.પી. વૈષ્ણવ તથા માનદ મંત્રી નૌતમભાઈ બારસિયા તસ્વીરમાં દેખાય છે. તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા પણ નજરે પડે છે (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા. ૧૨ :. રાજ્યના વેપાર ઉદ્યોગના સર્વશ્રેષ્ઠ સંગઠન પૈકીનું એક એવુ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના સભ્ય પરિવારનું પરંપરાગ વાર્ષિક સ્નેહ મિલન તા. ૧૬-૩-૨૦૧૯ને શનિવારે સાંજે ૬ વાગ્યાથી રોયલ/ સેફ્રોન પાર્ટીપ્લોટ, સપ્તપદી પાર્ટીપ્લોટ પાછળ, કાલાવડ રોડ રાજકોટ ખાતે યોજવામાં આવ્યુ છે.

આ સ્નેહમિલન અંગે માહિતી આપવા અકિલા કાર્યાલયે પધારેલા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.પી. વૈષ્ણવ અને માનદ મંત્રી નૌતમભાઈ બારસિયાએ જણાવ્યુ હતુ કે, આ પ્રસંગે મુખ્ય મહેમાન પદે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ખાસ ઉપસ્થિત રહેશે. જ્યારે અતિથિ વિશેષ પદે સાંસદ મોહનભાઈ કુંડારિયા તથા મેયર શ્રી બીનાબેન આચાર્ય ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી તથા લાખાભાઈ સાગઠિયા પણ ખાસ ઉપસ્થિત રહેશે.

તેમણે જણાવ્યુ હતુ કે, આ પ્રસંગે સન્માન સમારોહ અને સંગીત સંધ્યાનું પણ આયોજન કરવામાં આવ્યુ છે. ત્યાર બાદ સ્વરૂચી ભોજનનો પણ કાર્યક્રમ છે. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ચેમ્બર ઓફ કોમર્સની ટીમ રાઉન્ડ ધ કલોક કામે લાગી ગઈ છે. તેમણે જણાવ્યુ હતુ કે, ગઈકાલે યોજાયેલી બેઠકમાં ૧૬મી માર્ચના રોજ વાર્ષિક સ્નેહમિલન યોજવા નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમા વેપાર ઉદ્યોગપતિઓને એવોર્ડ પણ આપવાનું આયોજન કરવામાં આવ્યુ છે.

(3:32 pm IST)