Gujarati News

Gujarati News

News of Tuesday, 12th March 2019

સ્નેહ દેસાઈની કૃષ્ણ કથાનો આજથી પ્રારંભ

બે દિવસ સુધી સવારે ૭ થી ૯ કથાનો વિનામૂલ્યે લાભ મળશે

રાજકોટઃ સરગમ કલબ દ્વારા સ્નેહ દેસાઈની કૃષ્ણ કથાનો લાભ આજથી ત્રણ દિવસ માટે સવારે ૭ થી ૯ હેમુગઢવી હોલમાં લાભ લઈ શકાશે.

આ કથાનો એન્જલ પમ્પના કિરીટભાઈ આદ્રોજાના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિનુભાઈ પારેખ, મુકેશભાઈ મેરજા, ગુણવંતભાઈ ડેલાવાળા ઉપરાંત સરગમ લેડીઝ કલબના પ્રમુખ નીલુબેન મહેતા, ઉપપ્રમુખ જશુમતીબેન વસાણી, રેશ્માબેન સોલંકી, ભાવનાબેન માવાણી, ચેતનાબેન સવજાણી, ગીતાબેન હિરાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ કૃષ્ણ કથાનો લાભ લેવા ઈચ્છુકોએ સવારે ૬:૪૫ સુધીમાં હેમુગઢવી હોલ ખાતે ઉપસ્થિત રહેવા યાદીમાં જણાવાયું છે.

(3:29 pm IST)