Gujarati News

Gujarati News

News of Monday, 12th March 2018

નાતની મિટીંગમાં વાંધો ઉઠાવતાં જંગલેશ્વરના ઇમ્તિયાઝ પર હુમલો

માતાની જીયારત માટે જમાતખાનુ ભાડે આપ્યું નહોતું: જમાતખાનાના પ્રમુખ અને તેના પુત્રોએ માર માર્યાનું કથન]

રાજકોટ તા. ૧૨: જંગલેશ્વરમાં રહેતાં ઇમ્તિયાઝ હનીફભાઇ ઉમરેઠીયા (ઉ.૩૦)ને રાત્રે નવેક વાગ્યે ગોપાલનગરના જમાતખાનામાં નાતની મિટીંગમાં ગયો ત્યારે અગાઉ પોતાના માતાની જીયારત માટે જમાતખાનુ અપાયું ન હોઇ તે બાબતે રજૂઆત કરતાં ખાર રાખી જમાતખાનાના પ્રમુખ કાસમભાઇ અને તેના પુત્રએ ઢીકા-પાટુનો માર મારતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં ભકિતનગર પોલીસને જાણ કરાઇ હતી.

ઇમ્તિયાઝના કહેવા મુજબ તેના માતા ૨૩/૨ના રોજ જન્નતનશીન થયા હોઇ તેની જીયારત રાખવી હોઇ જેથી જમાતખાનુ ભાડે રાખવા માટે પિતા ગયા હતાં. પણ ત્યારે પ્રમુખ સહિતે ખાલી નથી તેમ કહી જમાતખાનુ આપ્યું નહોતું. ગઇકાલે નાતની મિટીંગ હોઇ તેમાં 'બીજાને તો તમે જમાતખાનુ આપો છો, હું સભ્ય છું છતાં મને કેમ ના પાડી?' તેમ કહી વાંધો ઉઠાવતાં હુમલો થયો હતો. (૧૪.૧૧)

(12:57 pm IST)