Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

રાજકોટ તાલુકાના રાણપુર ગામની જમીન રાજકોટના વકિલ અને તેમના ભાઇઓએ પચાવી

આલાભાઇનું ''અકિલા'' સમક્ષ નિવેદન : પુત્રોએ નહીં ભાઇઓએ પચાવી

રાજકોટ, તા. ૧ર :  શહેરના આલાભાઇના ભઠ્ઠાના રહેવાસી આલાભાઇ નારણભાઇ જાળફવાએ કલેકટર સમક્ષ રાજકોટના એક વકિલ અને તેમના ભાઇઓએ રાણપુરની જમીન પચાવી પાડી તે અંગે લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ ફરીયાદ નોંધી છે.

દરમિયાન ગઇકાલે ''અકિલા''માં આ મેટરના હેડીંગમાં વકિલ અને તેમના પુત્રોએ જમીન પચાવી પાડી તેવી વિગતો છપાતા, આજે આલાભાઇ પોતે રૂબરૂ ''અકિલા'' ખાતે દોડી આવેલ અને નિવેદન આપતા જણાવેલ કે વકિલ અને તેમના પુત્રોએ નહી પરંતુ રાજકોટના એક વકિલ અને તેમના ભાઇઓએ જમીન પચાવી છે, તેમની સામે લેન્ડ ગ્રીબીંગ એકટ હેઠળ ફરીયાદ નોંધવા કલેકટરને અરજી કરી છે.

(3:50 pm IST)