Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

રૈયાધારના યુવાન પર નિરાલી રિસોર્ટમાં સિકયુરીટીમેનનો હુમલો

યુવાન પોતાના સ્ટાફના માણસો લેવા જતાં માથાકુટ

રાજકોટ તા. ૧૨: રૈયાધારમાં રહેતાં વિશાલભાઇ જયંતિભાઇ સિધ્ધપુરા (ઉ.વ.૩૫)ને તે રાતે કાલાવડ રોડ પર આવેલા નિરાલી રિસોર્ટ ખાતે હતાં ત્યારે ત્યાંના સિકયુરીટીમેન ગોહિલભાઇએ ઝઘડો કરી લોખંડના પાઇપથી હુમલો કરી માર મારતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરી હતી.

વિશાલભાઇએ જણાવ્યા મુજબ પોતે રિસોર્ટમાં વેઇટર સપ્લાયનો કોન્ટ્રાકટ ધરાવે છે. જ્યાં પ્રસંગ હોઇ ત્યાં માણસો પુરા પાડવાનું કામ કરે છે. ગઇકાલે પોતે પોતાના માણસોને તેડવા માટે ગયા ત્યારે સિકયુરીટીમેને ઝઘડો કરતાં અને ખોટી વાત કરતાં શેઠ સુધી વાત પહોંચી હતી. જ્યાં સિકયુરીટીમેન ખોટા પડતાં તેનો ખાર રાખી હુમલો કરાયો હોવાનું વિશાલભાઇએ જણાવ્યું હતું. સારવાર બાદ તેણે રાતે હોસ્પિટલમાંથી રજા લીધી હતી.

(3:18 pm IST)