Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

વોર્ડનં.૧૬માં ભાજપ મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન : કેસરીયો ખેસ ધારણ કરનાર કોંગ્રેસીઓનું સન્માન

 રાજકોટ : ભાજપ વોર્ડનં.૧૬ના ચુંટણી મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન ધારાસભા ૬૮ના ધારાસભ્ય શ્રીમાન અરવિંદભાઇ રૈયાણી, ગુજરાત રાજયના ફાઇનાન્સ ડીપા.ના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી સાહેબ અને શહેર ભાજપના મહામંત્રી શ્રીમાન કિશોરભાઇ રાઠોડના હસ્તે કરવામાં આવેલ. આ સાથે વોર્ડનં. ૧૬ના ભાજપના નવનિયુકત ઉમેદવારો ડવ નરેન્દ્રભાઇ બી, સુરેશભાઇ વસોયા, કંચનબેન સિધ્ધપુરા અને રૂષિતાબેન જોશીના સમર્થનમાં ૧૨૦૦ થી ૧૫૦૦ લોકો ઉપસ્થિત રહ્યા હતા. પટેલ સમાજ, આહિર સમાજ, બ્રહ્મસમાજ, લુહાર સમાજ, કડીયા સમાજ, સાધુ સમાજના આગેવાનો સંતો, મહંતો, કાઠી ક્ષત્રિય સમાજ, રઘુવંશી સમાજ, વાણંદ સમાજ, ક્ષત્રિય સમાજ, રજપુત સમાજ, ગઢવી સમાજ, સોની સમાજ, લઘુમતી સમાજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યાલય ઉદઘાટન પ્રસંગે કોંગ્રેસી જૂના આગેવાન રાજુભાઇ લાવડીયા અને લાખાભાઇ જળુ, પ્રભાતભાઇ જળુ, વિક્રમભાઇ લાવડીયાની આગેવાનીમાં ૧૦૧ આહીર સમાજના લોકો કોંગ્રેસને તિલાંજલી આપી લાભુભાઇ ખીમાણીયાના પ્રયત્નોથી કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા. તેમનું ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણી અને મહામંત્રી કિશોરભાઇ રાઠોડ દ્વારા ખેસ પહેરાવી સ્વાગત કરાયુ હતુ. તેમજ વોર્ડનં.૧૬માં કોળી સમાજના લોકપ્રિય કોંગ્રેસી આગેવાન ભયલુભાઇ કોળી અને પ્રકાશભાઇ બસીયાની આગેવાનીમાં ૫૧ કોંગ્રેસી કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. આ તકે વોર્ડનં. ૧૬ના ભાજપ પ્રભારી જીણાભાઇ ચાવડા, પ્રમુખ ભાર્ગવભાઇ મિયાત્રા, મહામંત્રી જીતુભાઇ સિસોદીયા, જતીનભાઇ પટેલ, ચુંટણી ઇન્ચાર્જ ભરતભાઇ કુબાવત તથા ચારેય ઉમેદવારોએ આવકારેલ છે. કાર્યાલય ઉદઘાટનનું સંચાલન જયેશભાઇ દવેએ કરેલ હતુ.

(3:16 pm IST)