Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

ગાંધીજીને મળી ચુકેલા ૯૨ વર્ષના સ્વાતંત્ર સેનાની મનસુખભાઈ પંચાલને પેન્શન આપો

રાજકોટઃ મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ સહિતના મહાનુભાવો સાથે આઝાદીની  લડત લડી ચુકેલા એવા ૯૨ વર્ષના સ્વાતંત્રસેનાની શ્રી મનસુખભાઈ પંચાલે પેન્શન ચુકવવા રાજય સરકાર અને કેન્દ્ર સરકાર સમક્ષ માંગણી કરી છે.

તેઓએ જણાવેલ કે મારો જન્મ તા.૬-૫-૧૯૨૮ના સરધાર ગામે થયો હતો. ૧૪ વર્ષની વયે ગાંધીજી અને સરદાર સાહેબને મળેલો. સ્વતંત્રતાની લડાઈમાં લડી ચુકયા છે. સાયકલ યાત્રા કરી ગામે ગામ લડત આદરી હતી.

તેઓ કહે છે કે હાલમાં મારી આર્થિક પરિસ્થિતિ સારી ન હોય પેન્શન ચુકવવા કેન્દ્ર અને રાજય સરકારને પણ અરજી કરી હતી. (શ્રી મનસુખભાઈ પંચાલ, યુથ હોસ્ટેલ સેકટર-૧૬, ગાંધીનગર)

(1:21 pm IST)