Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

સ્પાઈસ જેટ દ્વારા ૨૪ ફેબ્રુઆરીથી રાજકોટ - બેંગ્લોર ફલાઈટ

બપોરે ૨:૩૦ વાગ્યે રાજકોટ આવશે અને ૩ વાગ્યે રવાના થશેઃ બુકીંગ શરૂ : રાજકોટ થી બેંગ્લોર ફલાઈટ બપોરે જ ઉડશે

રાજકોટ, તા. ૧૨ : રાજકોટથી બોમ્બે અને દિલ્હી માટે ફલાઈટ ઉડાડતી વિખ્યાત એરલાઈન્સ કંપની સ્પાઈસ જેટ દ્વારા આગામી ૨૪ ફેબ્રુઆરીથી નવી રાજકોટ - બેંગ્લોર ફલાઈટની જાહેરાત કરાઈ છે.

આ ફલાઈટ રાજકોટ અને બેંગ્લોર વચ્ચે ડાયરેકટ ઉડશે. જે તરત બપોરે બેંગ્લોરથી ૨:૩૦ કલાકે રાજકોટ આવી પહોંચશે. રાજકોટથી ત્રણ વાગ્યે બેંગ્લોર જવા રવાના થશે. આ અંગે સ્પાઈસ જેટ દ્વારા તમામ તૈયારીઓ કરી લેવાઇ છે.

(10:58 am IST)