Gujarati News

Gujarati News

News of Wednesday, 12th February 2020

સીએએના સમર્થનમાં તિરંગા યાત્રા અંતર્ગત આવતીકાલે રાજકોટ માર્કેટ યાર્ડ બંધ રહેશે

રાજકોટ, તા., ૧રઃ આવતીકાલે સીએએના સમર્થનમાં રાષ્ટ્રીય એકતા સમીતી દ્વારા શહેરમાં નિકળનાર તિરંગા યાત્રા અંતર્ગત આવતીકાલે રાજકોટ માર્કેટ યાર્ડ બંધ રહેનાર છે.

માર્કેટ યાર્ડ કમીશન એજન્ટ એસોસીએશનના પ્રમુખ અતુલ કામાણીએ જણાવ્યું હતું કે સીએએના સમર્થનમાં રાષ્ટ્રીય એકતા સમીતી દ્વારા આવતીકાલે શહેરમાં તિરંગા યાત્રાનું આયોજન કરાયું હોય આ યાત્રામાં જોડાવવા માટે માર્કેટ યાર્ડના વેપારીઓ પોતાનું કામકાજ સંપુર્ણ પણે બંધ રાખી સીએએને સમર્થન જાહેર કરશે. યાર્ડ આવતીકાલે બંધ રહેનાર હોય ખેડુતોને પોતાનો માલ ન લાવવા અપીલ કરાઇ છે.

(3:59 pm IST)