Gujarati News

Gujarati News

News of Wednesday, 12th February 2020

અખિલ ભારતીય બ્રાહ્મણ સેવા સંગઠન દ્વારા રવિવારે સમુહ લગ્ન અને સમુહ યજ્ઞોપવિત સમારોહ

રાજકોટ તા. ૧૨ : અખિલ ભારતીય બ્રાહ્મણ સેવા સંગઠન દ્વારા આગામી તા. ૧૬ ના રવિવારે સમુહલગ્ન સમારોહ અને સમુહ યજ્ઞોપવિત સમારોહ યોજવામાં આવેલ છે.

'અકિલા' ખાતે આ અંગે વિગતો વર્ણવતા સંગઠનના આગેવાનોએ જણાવેલ કે તા. ૧૬ ના મહાવદ-૮ ના રવિવારે મહર્ષિ સ્કુલ શાળા નં. ૫૯, પુનિતનગર પાણીના ટાંકા પાસે, જામનગર રોડ ખાતે  યોજેલ આ 'દાદાની દિકરીઓના સમુહલગ્ન' માં ચાર યુગલો સંસારની કેડીએ ડગ માંડશે. જયારે ૬ બટુકોને યજ્ઞોપવિત સંસ્કાર ધારણ કરાવવામાં આવશે.

અહીં ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે આ સંગઠન દ્વારા ૫૧ બટુકોને યજ્ઞોપવિત ધારણ કરાવવામાં આવેલ. આ વર્ષે સમુહલગ્નની નવી પહેલ કરી છે.

દાતાઓના સહયોગથી દરેક દિકરીઓને કરીયાવરમાં સોનાની ચુક, ચાંદીના સાંકળા, પલંગ, કબાટ સહીત ૫૦ જેટલી વસ્તુઓ અપાશે.

સંતો મહંતો, જ્ઞાતિ આગેવાનો અને વિવિધ ક્ષેત્રના અધિકારીઓ ઉપસ્થિત રહી નવવિવાહીત યુગલોને આશીર્વચનો આપશે.

છેલ્લા પાંચ વર્ષથી જે. ડી. ઉપાધ્યાય (મો.૯૮૨૪૯ ૧૩૧૮૬) ના પ્રમુખ સ્થાને અને માધવીબેન ઉપાધ્યાયની આગેવાની હેઠળ થઇ રહેલ આ આયોજનને સફળ બનાવવા વિવિધ કમીટીઓની રચના કરવામાં આવી છે.

આયોજન સમિતિમાં અનિલભાઇ ત્રિવેદી, જયેશભાઇ જાની, જયભાઇ શાસ્ત્રી, રાજેશભાઇ શુકલ, નિલેશભાઇ ભટ્ટ, રાહુલભાઇ ક્ષેત્રીય, જયેશભાઇ જોષી, જયેશભાઇ દેસાઇ, રાજેશભાઇ શુકલ, આદિત્યભાઇ ત્રિવેદી, બીપીનભાઇ ભટ્ટ, ભરતભાઇ પંડયા, વિજયભાઇ ત્રિવેદી, જયેશભાઇ મહેતા, ધ્રુવ કુંડલ, લલિતભાઇ ઉપાધ્યાય, કમલેશભાઇ જોષી, અંકિતભાઇ ઉપાધ્યાય તેમજ મહિલા આયોજન સમિતિમાં શિતલબેન ત્રિવેદી, બીનાબેન શુકલ, નમ્રતાબેન ત્રિવેદી, હેમાલીબેન રાવલ, કૃપાબેન ત્રિવેદી, વિશ્વાબેન ત્રિવેદી, સુમનબેન ભટ્ટ, સાધનાબેન બક્ષી, અનિલાબેન શુકલા, જયશ્રીબેન ક્ષેત્રિય, પલ્લવીબેન દવે, હેમાલીબેન ઉપાધ્યાય, નીશાબેન પંડયા, બીનાબેન શુકલ, હેલીબેન ઠાકર, જયોતિબેન જાની, તેજલબેન દક્ષ, સોનલબેન દવે વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા સર્વશ્રી જીતેન્દ્રભાઇ ઉપાધ્યાય, અનીલભાઇ ત્રિવેદી, જયેશભાઇ મહેતા, લલિતભાઇ ઉપાધ્યાય નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:51 pm IST)